"ભોલે બાબા"ની આ વાતો તમે જાણો છો?: બાબા શું જમે છે, કેવા-કેવા ચમત્કારો કરે છે? સેવકે ગણાવી તેમની 52 કળાઓ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04072024_063857_Bhole baba.webp)
- 04 Jul, 2024
ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલી ભાગદોડમાં 122 લોકના મૃત્યુ પછી નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા ચર્ચામાં છે. ભોલે બાબાનો કાસગંજના બહાદુરગઢમાં પણ આશ્રમ છે. અહીં હાજર સેવક ગેંદાલાલે કહ્યું કે ભોલે બાબા ખૂબ જ ચમત્કારી છે. તેમનામાં 52 કલાઓ છે. એટલું જ નહીં ગેંદાલાલે દાવો કર્યો કે તેમને પોતાને જ એક બીમારી હતી. જોકે જ્યારથી તેઓ બાબાના સંપર્ક આવ્યા છે, તે મટી ગઈ છે.
ગેંદાલાલે એક ચેનલ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે મને એક એવી બીમારી હતી, હું બાબાની પાસે આગ્રા આવ્યો. જોકે તે પછીથી મારી આ બીમારી મટી ગઈ. પછીથી મેં બહાદુરગઢમાં સત્સંગ રાખ્યો છે. હું બાબાને અહીં લઈને આવ્યો. જોકે પછીથી સત્સંગમાં હજારો લોકો આવવા લાગ્યા. ગેંદાલાલે જણાવ્યું કે આગરાના એક પ્રોફેસરના પુત્રને કોઢ હતો. તે છોકરાને અહીંના આશ્રમમાં ચાર દિવસ રાખવામાં આવ્યો હતો. બાબાએ આદેશ આપ્યો કે તેને સ્નાન કરાવો. પછીથી મેં સ્નાન કરાવ્યું તો તેને થયેલો કોઢ મટી ગયો.
સેવકે કહ્યં કે બાબાની પાસે 52 કલાઓ છે. મેં બાબાની તમામ કલાઓ જોઈ છે. ક્યારેક કૃષ્ણના રૂપમાં, ક્યારેક શિવના રૂપમાં, ક્યારેક હનુમાનના રૂપમાં, ક્યારેક રામના રૂપમાં, ક્યારેક નિરાકારના રૂપમાં મેં દર્શન કર્યા. તેઓ મારા પરમાત્મા છે.
ગેંદાલાલે કહ્યું કે બાબા અલીગઢમાં જઈને પોલીસમાં ભરતી થયા. તે પછીથી તેમણે રાજીનામું આપ્યું. તે પછીથી તે આગરામાં સીબીઆઈ અધિકારી બની ગયા. તે પછીથી સત્યતાનો માર પડ્યો તો તેમણે બાબાનું શરીર ત્યાગી દીધું અને સત્સંગ કરવા લાગ્યા.
ગેંદાલાલના જણાવ્યા મુજબ બાબાના ત્રણ ભાઈ છે. જોકે તેમની સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓ માતાના મૃત્યુમાં પણ ગયા નહોતા. તેમણે બધું જ ત્યાગી દીધું છે. તેમની પાસે 15 વીધા ખેતી છે. તેનું જ અન્ન તેઓ ખાય છે. અહીંનું જ જળ પીવે છે. તેઓ ક્યાંય પણ જાય છે, અહીંની જમીનનું જ ખાય છે. આ સિવાય તેઓ બહારનું કશું જ ખાતા નથી.